રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1175 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 1347 કોરોના દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. તો રાજ્યમાં કોરોનાથી 11 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,10,214 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.
રાજ્યમાં 5,39,514 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,39,377 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 139 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ 13,298 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 65 છે. જ્યારે 13,233 લોકો સ્ટેબલ છે. 2,10,214 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4171 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 8, સુરત કોર્પોરેશન 3 સહિત કુલ 11 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.