રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે , ત્યારે રાજ્યમાં નવા 1455 કોરોના દર્દી નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 1485 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના મોત કોરોનાના કારણે થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,00,012 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.
રાજ્યમાં 5,42,138 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,41,880 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 258 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ 14,695 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 87 છે. જ્યારે 14,608 લોકો સ્ટેબલ છે. 2,00,012 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4081 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 17 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 10, સુરત કોર્પોરેશન 3, અમરેલી 1, બોટાદમાં 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરાના 1 વ્યક્તિ સહિત કુલ 17 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.