રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે આ વચ્ચે રાજ્યમાં નવા 1495 કોરોના દર્દી નોંધાયા છે. તો કોરોનાના વધતા કેસની સામે રાજ્યમાં 1167 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી 13 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,79,953 દર્દીઓ રિકવર થયા છે.
રાજ્યમાં 5,02,685 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,02,573 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 112 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ 13,600 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 93 છે. જ્યારે 13,507 લોકો સ્ટેબલ છે. 1,79,953 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3859 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 13 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 8, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ગાંધીનગર 1 અને ભાવનગરનાં 1 વ્યક્તિ સહિત કુલ 13 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.