ગુજરાત રાજ્યમાં કોરોનાની સ્થિતી હવે કાબુમાં આવી રહી હોય તે રીતે આંકડા ઘટી રહ્યા છે. ત્યારે રાજ્યમાં નવા 875 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1004 દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે 4 કોરોના દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,58,251 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના રિકવર થવાનો દર 90.60 ટકા થઇ ગયો છે.
રાજ્યમાં 5,22,536 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 104 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ 90.60 ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
હાલમાં રાજ્યમાં કુલ 12,700 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 58 છે. જ્યારે 12642 લોકો સ્ટેબલ છે. 1,58,251 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3728 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 2, બનાસકાંઠા 1 અને સુરત કોર્પોરેશનના 1 દર્દી સહિત કુલ 4 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.