રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે, ત્યારે રાજ્યમાં બે માસ જેટલા લાંબા સમય બાદ સતત બીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો 1000ની નીચે નોંધાયો છે. રાજ્યમાં નવા 988 કોરોના દર્દી નોંધાયા હતા. તો રાજ્યમાં 1209 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં 7 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,21,602 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.
રાજ્યમાં 5,05,674 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,05,558 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 116 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ 11,397 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 64 છે. જ્યારે 11,333 લોકો સ્ટેબલ છે. 2,21,602 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4248 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 5, સુરત કોર્પોરેશન 1 અને બોટાદનાં 1 દર્દી સહિત કુલ 7 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.