કોરોના વાઈરસની બીજી લહેરને લઈને એમ્સ દ્વારા ફરી એકવાર લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. જેને લઈને ત્રીજી વેવની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરની શક્યતા નકારી છે. કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે.
તેમણે કહ્યું કે, પ્રદૂષણ અને બદલાતી સીઝનના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. પ્રદૂષણના કારણે કોરોના વધારે સમય સુધી હવામાં રહે છે. તેમજ તે ફેફસાને પણ નુકસાન કરે છે. પ્રદૂષણથી પણ તે વધી શકે છે. હજુ કોરોના ખતમ થયો નથી, લોકોએ માસ્ક પહેરવું જોઈએ. બેદરકારીથી કેસ વધી શકે છે.
કોરોના વેક્સીનને લઈને ડો. ગુલેરિયાએ કહ્યું કે, આશા છે કે કોઈ નવી દવાઓ આવે જે વાયરસને કંટ્રોલ કરે. વેક્સીન આવવાથી કોરોનાના કેસ ઘટશે. પરંતુ અત્યારે તો લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર ધ્યાન આપવું જોઈએ. પ્રદૂષણ અને કોરોના બંને એક ચેલેન્જ છે. આ સમયે જરૂરી છે કે, દરેક નિયમોનું પાલન કરાય અને કેસને કંટ્રોલમાં લઈ શકાય. દિવાળીના સમય સુધીમાં કોરોનાના કેસ ઘટશે તો કહી શકાશે કે કોરોના વાઈરસ ખતમ થયો છે.
તેમણે વધુમાં કહ્યું કે, તહેવારની સીઝનમાં લોકોએ ખાસ સાવધાની રાખવી પડશે. જેમને માઈલ્ડ ઈન્ફેક્શન છે તેમને ફરી સંક્રમણ થઈ શકે છે. આ વાયરસના કારણે ઈમ્યુનિટી ઘટે છે. આ કારણે સંક્રમણનો ખતરો વધે છે.