કોરોના સામે દેશની જનતાના હિત માટે વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું દેશ વ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનની પરિસ્થિતિના કારણ લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપા દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં રહેતા નાગરિકોને આ કુદરતી આફત સમયે કોઈ પણ પ્રકારની મદદ કે માર્ગદર્શનની જરૂર હોય તો તેના માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે તો આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે. ભાજપ પ્રદેશ કાર્યાલયનો હેલ્પલાઈન નંબર- 70966 15392 અને 70966 15329 જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારનો પણ હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. સરકાર સંક્રમણના નિવારણ માટે સતત પ્રયત્ન કરી રહી છે જ્યારે ગુજરાતના નાગરિકોના કોઈ પણ મદદ કે માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે.
શું ખબર...?
ડ્રગ્સકાંડ: બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલને ત્યાં NCBના દરોડાનાયબ મુખ્યપ્રધાન વિરૂદ્ધ ગાંધીનગરમાં દેખાવો, પોલીસે કરી અટકાયતગાંધીનગરમાં ડ્રેનેજની સાફસફાઈ માટે વિકસાવાયું 38 લાખનું અત્યાધુનિક રોબોટદિવાળી ભેટ : PM મોદીએ કાશીમાં 614 કરોડની યોજનાઓનો કર્યો શિલાન્યાસસુરતમાં બ્રાન્ડેડની આડમાં ડુપ્લિકેટ ફૂટવેર વેચનાર દુકાનોમાં CIDના દરોડા
કોરોના સામે ગુજરાત ભાજપ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
