
પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા પર થયેલા કેસ મામલે લલિત કગથરાએ પાટીદારોનો પક્ષ લઇને ગૃહમાં રજુઆત કરી હતી અને પાસ ના કાર્યકરો પર થયેલા કેસો પરત ખેંચવા ની ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે તમારી નઝરે કદાચ હાર્દિક અને અલ્પેશ રાજદ્રોહી હશે પરંતુ અમારી દ્રષ્ટિ એ સમાજ ના હક્ક માટે લડત લડતા આંદોલનકારી યુવાનો છે તેમની સામે ના કેસો પરત ખેંચી લેવાની વાત ઉચ્ચરતા પાટીદાર ધારાસભ્ય લલિત કગથરા એ વિધાનસભા ગૃહ માં ઉગ્ર રજૂઆત કરી હતી અને તમામ યુવાનો પર થી કેસો પરત ખેંચી લેવા જોઈ એ તેવી માંગ કરી હતી સરકાર આંદોલનો તોડવા માટે તે વખતે પાસ ના આગેવાનો અને નેતાઓ ને વચન આપ્યું હતું.
તે વચન નિભાવવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે જામનગર ગ્રામ્ય ના ભાજપના ધારાસભ્યએ પણ પાસ ના યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા ની રજુઆત કરી હતી બાદ માં હવે કોંગ્રેસ ના ધારાસભ્ય પણ પાસની વહારે આવ્યા છે અને સરકાર ને બાનમાં લેવા ની કોશિશ કરી રહ્યા છે ,જોવાનું એ છે કે સરકાર પાટીદારો સામે ના કેસો પાછા ખેચશે કે હાર્દિક અને અલ્પેશની મુશ્કેલી રાજ્યસભા ની ચૂંટણી સમયે વધારશે તે તરફ પાસ ના આગેવાનોની મીટ મંડાણી છે.