
હાલ કોરોના કહેર સામે દેશ જજુમી રહ્યો છે સરકારે તમામ પ્રયત્નો શરૂ કરી દીધા છે કોરોના થી બચવા અને બચાવવા લોકોને જાગૃત કરવા અપીલ કરી છે દેશમાં લોકડાઉન કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવા માં આવી રહ્યો છે તેવા સમયે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવીને માનવજાત માટે કોઈ પણ કામ કરવા જીવના જોખમમાં મુકવા તૈયારી બતાવી રહી છે ત્યારે ગુજરાત NSUI આઈ ગુજરાતના મંત્રી નિખિલ સવાણીએ સરકારને એક પાત્ર લખી કોઈ પણ કામ માટે આદેશ કરવાની અપીલ કરી છે અને ગમે તેવી પરિસ્થિતિમાં ગુજરાત NSUI ની ટિમ સરકારના કોઈ પણ કામ માટે આદેશ અનુસાર કામ કરશે અને જરૂર પડે ત્યારે હાજર રહશે તેવી ખાત્રી ગુજરાત NSUI ના મઁત્રી નિખિલ સવાણીએ સરકારને અપીલ કરી હતી.