જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં 5 પાકિસ્તાની સૈનિકોને ઠાર મારવામાં આવ્યા હતાં, જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ પાકિસ્તાને ગુરૂવારે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખાના મનકોટ સેક્ટરમાં નાગરિકો તેમજ તેમની સુવિધાઓને નિશાન બનાવતા કારણ વગર ગોળીબારી કરી હતી. પાકિસ્તાનની સેના દ્વારા નાગરિક સુવિધાઓને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરિંગમાં નાગરિકોની સંપતિને નુકસાન પહોંચ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત તેના અનેક બંકર પણ નષ્ટ કરવામાં આવ્યા છે.’
જમ્મુ અને કાશ્મીરમાં જાન્યુઆરી 2020થી નિયંત્રણ સીમા રેખા પર પાકિસ્તાન દ્વારા 3 હજારથી વધુ વખત કરેલા સંઘર્ષ વિરામ ઉલ્લંઘનમાં 30 નાગરિકોના મોત નિપજ્યાં છે અને 100થી વધુ ઇજાગ્રસ્ત થયા છે.