હાલ સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાયરસ સામે બાયો ચડાવી લડત લડી રહ્યું છે ત્યારે ભાજપને રાજ્યસભાની ચૂંટણીમાં હાર દેખાતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે રાજ્યસભાની ચૂંટણી કોરોના વાયરસના બહાને ટાળવા અને મુલતવી રાખવાની રાજુઆત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો નીતિન પટેલે આજે રાજ્યસભાની ચૂંટણી મુલતવી રાખવાની રજૂઆત કરતા ગુજરાત કોંગ્રેસે પ્રમુખ અમિત ચાવડાએ નીતિન પટેલ ની વાતને આડે હાથે લીધી રાજ્યસભાની ચાર માંથી બે સીટો કોંગ્રેસ બે સીટો પર જીત મેળવી રહી છે તેવા ભયથી નીતિન પટેલ ચૂંટણી પંચને કોરોના વાયરસનું બહાનું ધરી ગેરમાર્ગે દોરી રહ્યા છે કારણ કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી નથી શક્તિ અને સમય મેળવવી અને હોર્સ ટ્રેડિગ કરી કોંગ્રેસના ધારાસભ્યોને તોડી ખરીદ કરી ચૂંટણી જીતી જશે તેવો ભય નીતિન પટેલને હોવાથી ચૂંટણી પંચ ને ગેરમાર્ગે દોરવી રહી છે ચૂંટણીમાં ક્યાંય લોકો એકઠા થવાના નથી એક પછી એક ધારાસભ્યો મતદાન કરીને નીકળી જશે પરંતુ ભાજપ હાર ભાળી જતા હવે કોરોનાનું બહાનું લાવીને હોર્સ ટ્રેડિંગ કરવાનો સમય માંગી રહી હોવા નો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આક્ષેપ કરી રહ્યા છે જોકે હાલ તો ગુજરાતના પાટનગર ગાંધીનગર માં 25મી માર્ચ સુધી લોકડાઉન કરી દેવા ના આદેશ વચ્ચે પણ રાજકારણમાં કોઈ ફર્ક નથી પડ્યો અને રાજકારણીઓ પોતાની સીટો નથી ગુમાવવા માંગતા એટલે અવનવા પેતરા રચી રહ્યા છે ભાજપને કોરોના વાયરસનો ભય સતાવે છે તો કોંગ્રેસ ને ભાજપના હોર્સ ટ્રેડિંગનો ભય છે તેથી ચૂંટણી યોજાશે કે કેમ તે એક સવાલ બની ગયો છે
શું ખબર...?
રાહુલ ગાંધીએ કોરોના વેક્સિનને લઈને PM મોદીને પૂછ્યા આ ચાર પ્રશ્ન…કોરોના ઈફેક્ટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ કરી રદઅમદાવાદ: જમાલપુરમાં સામાન્ય બોલાચાલીમાં યુવક પર કર્યો જીવલેણ હુમલોસુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર થઇ દોડતી, આજે યોજાશે બેઠકકેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું, ભારતમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ હેલ્થ વર્કરને અપાશે