Saturday, Jun 10, 2023 Today’s Paper

Ravindra Jadeja: રવિન્દ્ર જાડેજાના ટ્વીટથી મચ્યો ખળભળાટ, ચાહકોએ રીટ્વીટ કરી RCBમાં આવવાની માંગ

24 May, 23 109 Views

ગુજરાત સામેની જીત સાથે ચેન્નાઈએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે

Ravindra Jadeja: ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) 2023માં એક પછી એક રોમાંચક મેચ રમવામાં આવી રહી છે. આ સાથે જ આઈપીએલ (IPL) સંબંધિત થતી કેટલીક ટ્વીટ પણ વાયરલ થતી હોય છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની આવી જ એક ટ્વીટ વાયરલ થઈ રહી છે. જેને ફેન્સ રીટ્વીટ કરી રહ્યા છે.આઈપીએલ 2023ના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ને 14 રનથી હરાવ્યું. ચેન્નાઈની જીતમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શનના કારણે તેને 'મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ' એવોર્ડ મળ્યો હતો. તેણે આ વિશે એક રસપ્રદ ટ્વીટ કર્યું, જેના પર ચાહકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ખતરનાક બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 18 રન આપ્યા હતા. સીએસકેની જીત બાદ જાડેજાએ એવોર્ડ સાથે એક ફોટો શેર કર્યો હતો. તેના કેપ્શનમાં તેણે ફેન્સ વિશે એક રસપ્રદ વાત લખી છે. જાડેજાના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક ચાહકો જાડેજાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુમાં જોડાવાની સલાહ આપી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ જાડેજાના ટ્વીટ બાદ થોડા સમય માટે ટ્વિટર પર 'કમ ટુ આરસીબી' હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.  

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સામેની જીત સાથે ચેન્નાઈએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડે 60 રનની ઇનિંગ રમી હતી. કોનવેએ 40 રન બનાવ્યા હતા. જાડેજાએ 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ ઓલઆઉટ થતાં સુધી 20 ઓવરમાં 157 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન ચેન્નાઈ તરફથી જાડેજા, પથિરાના, થીક્ષાના અને દીપક ચહરે 2-2 વિકેટ લીધી હતી. ગુજરાત તરફથી શુભમન ગિલે 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રાશિદ ખાને 30 રનનું યોગદાન આપ્યું હતું.