દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને વેક્સિનના ઈમરજન્સી અપ્રૂવલ અને તેના વિતરણની તૈયારીની સ્થિતિ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર કોરોના કેસની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી છે. ભારતમાં પ્રતિ મિલિયન જનસંખ્યા પર 7178 કેસ છે. વૈશ્વિક એવરેજ 9000 છે. મંગળવારે પાંચ મહિનામાં સૌથી ઓછા કેસ સામે આવ્યા છે.
કોરોના વેક્સિન લગાવવાની તૈયારીને લઈને રાજેશ ભૂષણે કહ્યું કે, 9000 કોલ્ડ ચેન પોઈન્ટ, 240 વોક-ઇન કૂલર, 70 વોક-ઇન ફ્રીઝર, 45000 આઇસ-લાઇનેટ રેફ્રિઝરેટર, 4100 ડીપ ફ્રી જર્સ અને 300 સોલર રેફ્રિઝરેટરનો ઉપયોગ કરવામાં આવશે. આ બધા સાધનો રાજ્ય સરકાર સુધી પહોંચી ચુક્યા છે.
29000 cold chain points, 240 walk-in coolers, 70 walk-in freezers, 45000 ice-lined refrigerators, 41000 deep freezers & 300 solar refrigerators will be used. All these equipment have already reached state governments: Rajesh Bhushan, Secretary, Ministry of Health #CovidVaccine pic.twitter.com/0tnJjVCB8n
— ANI (@ANI) December 15, 2020
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, રસીકરણ બાદ પ્રતિકૂળ ઘટનાઓ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જ્યારે આપણે એક સાર્વભૌમિક રસીકરણ કાર્યક્રમ કરીએ છીએ, જે દાયકામાં કરવામાં આવે છે તો રસીકરણ બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં પ્રતિકૂળ પ્રભાવ જોવા મળે છે.
તેમણે કહ્યું કે, જ્યારે કોરોના રસીકરણ શરૂ થાય છે, તો અમે કોઈ પ્રતિકૂળ ઘટનાની સંભાવનાથી ઇનકાર ન કરી શકીએ. જે દેશોમાં રસીકરણ પહેલાથી શરૂ થઈ ચુક્યું છે, વિશેષ કરીને બ્રિટનમાં પ્રથમ દિવસે પ્રતિકૂળ ઘટનાઓ થઈ છે. તેથી તે જરૂરી છે કે રાજ્ય અને સંઘ રાજ્ય ક્ષેત્ર તે માટે પણ તૈયારી કરે.
So, we can't deny chances of an adverse event when #COVID19 vaccination begins. The countries where immunisation has already begun, especially in the UK, adverse events took place on the very first day. So, it is essential that states and UTs prepare for this too: Rajesh Bhushan https://t.co/lZHvnLknFs
— ANI (@ANI) December 15, 2020
બ્રિટનમાં બે કર્મચારીઓને રસી લગાવ્યા બાદ મોડી રાત્રે તીવ્ર રિએક્શનની ફરિયાદ આવી હતી. પરંતુ હવે બંન્ને કર્મચારીની આ એલર્જી ઝડપથી ઠીક થઈ રહી છે. ત્યારબાદ બ્રિટનના દવા નિયમનકારીએ પાછલા દિવસોમાં કોરોના રસી વિશે એક ચેતવણી જાહેર કરી હતી. નિયમનકારીએ કહ્યું કે, દવા, ખાદ્ય પદાર્થો કે વેક્સિનથી એલર્જી થવાની ફરિયાદ વાળા લોકો ફાઇઝર બાયોનટેકના કોવિડ વેક્સિનના ડોઝ ન લે.