વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 97 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 92 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31,522 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 412 લોકોના મોત નિપજ્યા છે અને 37,725 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.
With 31,522 new #COVID19 infections, India's total cases rise to 97,67,372
— ANI (@ANI) December 10, 2020
With 412 new deaths, toll mounts to 1,41,772. Total active cases at 3,72,293
Total discharged cases at 92,53,306 with 37,725 new discharges in the last 24 hours pic.twitter.com/ioQBbnMNko
આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 97,67,372 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 92,15,581 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 3,72,293 કેસ એક્ટિવ છે.