વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 82 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 75 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,230 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 496 લોકોના મોત નિપજ્યા છે અને 53,285 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.
With 45,230 new #COVID19 infections, India's total cases surge to 82,29,313. With 496 new deaths, toll mounts to 1,22,607.
— ANI (@ANI) November 2, 2020
Total active cases are 5,61,908 after a decrease of 8,550 in last 24 hrs.
Total cured cases are 75,44,798 with 53,285 new discharges in the last 24 hrs. pic.twitter.com/RKeFutOhuS
આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 82,29,313 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 75,44,798 લોકોએ કોરોનાને માત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 5,61,908 કેસ એક્ટિવ છે.